SCE Result Guideline For Mass Promotion


માસ પ્રમોશનમાં વિદ્યાર્થીઓનું પરિણામ કઈ રીતે બનાવવું?





                    Covid-19 મહામારીના કારણે આ વર્ષે ધોરણ 1 થી 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.


                    આપ સુવિદિત છો એ મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવીડ-19 ને લીધે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય અને પદ્ધતિસરનું ઔપચારિક મૂલ્યાંકન બહુ અલ્પ પ્રમાણમાં થયું છે. આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે Home Learning અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મૂલ્યાંકન કાર્ય થયુ છે. આ બાબતોને ધ્યાનમાં લઈને, વિદ્યાર્થીઓના પરિણામપત્રક અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.





  • ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક (D2 અને D4) માં વિદ્યાર્થીના નામ સામે "વર્ગ બઢતી" એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.




  • ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે. આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક 4 માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40+ 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home learning અંતર્ગત વિદ્યાર્થીની સમાગિતાને ધ્યાનમાં લઈને વર્ષોને 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.




  • ધોરણ 3 થી 7 માં પત્રક B ભરવાની જરૂર નથી.




  • પત્રક-C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.




  • ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનનો 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.




  • આમ, વર્ષના અંતે વિદ્યાર્થીને આપવામાં આવતા પ્રગતિ પત્રકમાં નીચે મુજબનો ગુણભાર ધ્યાને લેવાનો રહેશે.









































































































ધોરણ /


વિષય



ધોરણ-3



ધોરણ-4



ધોરણ-5



ધોરણ-6



ધોરણ-7



ધોરણ-8



ગુજરાતી 



100



100



100



100



100



100



ગણિત



100



100



100



100



100



100



પર્યાવરણ



100



100



100


---

હિન્દી


-

60



100



100



100



100



અંગ્રેજી


-

60



100



100



100



100



સામાજિક વિજ્ઞાન


---

100



100



100



સંસ્કૃત


---

100



100



100



વિજ્ઞાન


---

100



100



100



એકંદરે કુલ ગુણ



300



420



500



700



700



 700








  • ધોરણ 3 થી 7 ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવવાના રહેશે. ધોરણ 8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે.




  • જો ધોરણ 3 થી 8 ના કોઈ વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયા કે મૂલ્યાંકનમાં ન જોડાયા હોય તો તે વિદ્યાર્થીની માર્કશીટમાં "વર્ગ બઢતી” એમ દર્શાવવું. તેમાં ગુણાંકન કરવાની જરૂરિયાત નથી.




  • વિદ્યાર્થીઓના ‘સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક E' માં આ વર્ષે પૂરતું જે તે ધોરણ વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો દર્શાવવી. વિદ્યાર્થીની હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવાની જરૂરિયાત નથી.




  • સંદર્ભ-૧ દર્શિત પરિપત્ર મુજબ ધોરણ-5 અને ધોરણ-8 નાં વિદ્યાર્થીઓને પણ તેઓના પરિણામને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે.







માસ પ્રમોશનમાં પરિણામ પત્રક કઈ રીતે બનાવવું?


જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરનો તારીખ:- 22/04/2021 નો પરિપત્ર



CLICK HERE TO DOWNLOAD






Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ