Under Section 80CCD / 80CCD(1) / 80CCD(2) / 80CCD(1B) કયા કયા રોકાણ / ભથ્થા / ખર્ચ બાદ મળી શકે ?
કેટલી હોય છે તેની મર્યાદા ?
Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો...
Deduction Under Section 16
Deduction Under Section 10(14)
Deduction Under Section 80 C
Deduction Under Section 80CCC - Insurance Premium
Deduction Under Section 80CCD - Pension Contribution
Deduction Under Section 80GG - House Rent Paid
Deduction Under Section 80E - Interest on Education Loan
Deduction Under Section 80D - Medical Insurance
Deduction Under Section 80CCG - RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
Deduction Under Section 80U - Physical Disability
Deduction Under Section 80G - Donations
Deduction Under Section 80GGA - Donations
Deduction Under Section 80GGC - Contribution to Political Parties
How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
Section 80CCD શું છે?
નિયમિત રીતે આવકવેરો ભરવો એ દરેક કરદાતાની જવાબદારી છે. Income Tax Act of 1961 હેઠળ સરકારશ્રી દ્વારા કરદાતાની આવક માંથી બાદ મળી શકે તેવા ઘણા બધા રોકાણની જોગવાઈ કરી છે. Section 80CCD એ આ જોગવાઈઓ પૈકીની એક પ્રચલિત જોગવાઈ છે જેનો કરદાતાઓ દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
કરદાતા દ્વારા રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અથવા અટલ પેન્શન યોજના (APY) માં પેન્શનના હેતુ માટે કરેલ રોકાણ Section 80CCD હેઠળ કરપાત્ર આવકમાંથી બાદ મળે છે. આ પેન્શન યોજનાઓ સરકારીશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ પેન્શન યોજનાઓ છે. NPS માં દરેક કેન્દ્રિય કરામાંચારીઓએ રોકાણ કરવું ફરજીયાત છે જયારે અન્ય તેમની સ્વેચ્છાએ રોકાણ કરી શકે છે. જેમાં વ્યક્તિએ ઓછામાં ઓછું ૬૦ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. જેમાં Tier-I અને Tier-II હેઠળ રોકાણ કરવામાં આવતું હોય છે. વ્યક્તિ દ્વારા આ યોજનાઓમાં કરેલ રોકાણ ને કયા ક્ષેત્રમાં રોકવા છે તેના માટે ઇક્વિટી ફંડ, સરકારી બોન્ડ, સરકારી સિક્યોરીટી વગેરે અલગ અલગ વિકલ્પ હોય છે. હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ equity-linked investment પૈકીની સૌથી સસ્તી યોજનાઓ પૈકીની એક છે.
Section 80CCD ના વિવિધ ભાગો.
Section 80CCD ને બે Subsection માં વહેચવામાં આવેલ છે. જે પૈકી એક પેટા વિભાગ પગારદાર અને સ્વ-રોજગાર વ્યવસાયિકોને ઉપલબ્ધ કર કપાત અંગેના નિયમો સાથે સંબંધિત છે, જ્યારે બીજું એમ્પ્લોયર દ્વારા એન.પી.એસ. માટે ફાળો આપવામાં આવે છે તેની સાથે સંબધિત છે. Section 80CCD માટેના બે વિભાગને લગતી વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
Section 80CCD (1)
Section 80CCD(1) આ પેટા કલમ, એનપીએસમાં ફાળો આપવા માટે વ્યક્તિઓને ઉપલબ્ધ આવકવેરા કપાત સંબંધિત નિયમોની વ્યાખ્યા આપે છે. આ યોજના નો લાભ સરકારી કર્મચારી, ખાનગી કર્મચારી અથવા સ્વ-રોજગારવાળી વ્યક્તિ તમામને મળે છે. આ વિભાગની જોગવાઈઓ તમામ ભારતીય નાગરિકોને લાગુ પડે છે જેઓ એનપીએસમાં ફાળો આપી રહ્યા છે અને તેમની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે છે.
Section 80CCD(1) ની મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે.
આ વિભાગ હેઠળ માન્ય મહત્તમ કપાત પગારના 10% (બેઝીક+ ડી.એ.) અથવા વ્યક્તિની કુલ આવકના 10% છે.
નાણાકીય વર્ષ 2017-18થી સ્વયં રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે આ મર્યાદા વધારીને કુલ કુલ આવકના 20% કરી દેવામાં આવી છે, જેમાં મહત્તમ મર્યાદા રૂ. 1,50,000 / - છે.
Section 80CCD(1) માં નવો સુધારો વર્ષ 2015 ના કેન્દ્રીય બજેટમાં પેટા કલમ 1 (B) તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈઓ હેઠળ, સ્વતંત્ર કરદાતા રૂ. 1,50,000/- ઉપરાંત રૂ. 50,000 /- વધારાનો કલેમ કરી શકે છે. જેમાં પગારદાર તેમજ સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ બંને નો સમાવેશ થાય છે. આ રીતે કરદાતા Section 80CCD (1) અને Section 80CCD (1) (B) મળીને કુલ રૂ. 2,00,000/- સુધી કરપાત્ર આવક માંથી કપાતમાટે ક્લેમ કરી શકે છે.
Section 80CCD (2)
Section 80CCD(2) આ પેટા કલમ હેઠળ દાવો ત્યારે જ કરી શકાય છે જયારે નોકરી આપનાર તેના કર્મચારીના રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળના ખાતામાં પેન્શન ફંડ તરીકે રકમ જમા કરાવતો હોય. જેમાં નોકરીદાતાનું યોગદાન કર્મચારીના યોગદાન કરતા વધારે કે ઓછું હોઈ શકે છે. આ વિભાગ માત્ર પગાર લેતા સ્વતંત્ર કરદાતાઓને જ લાગુ પડે છે વ્યવસાય કે ધંધા ઉદ્યોગ કરતા સ્વતંત્ર કરદાતાઓને આ વિભાગ લાગુ પડતો નથી. Section 80CCD(2) ની અન્ય તમામ જોગવાઈઓ Section 80CCD(1) ની જેમ જ છે. કોઈ સ્વતંત્ર કરદાતા આ બે પેટા વિભાગો પૈકી કોઈ એક નો જ લાભ લઇ શકે છે.
Section 80CCD જોગવાઈઓ અને શરતો.
Section 80CCD હેઠળની જોગવાઈઓ સરકારી કર્મચારી, બિન સરકારી કર્મચારી તેમજ સ્વ રોજગાર વાળા વ્યક્તિગત કરદાતા માટે ઉપલબ્ધ છે.
Section 80CCD હેઠળ કરપાત્ર આવકમાંથી વધુમાં વધુ રૂ. 2,00,000/- સુધી બાદ મળી શકે છે. જેમાં તેના પેટા વિભાગ Section 80CCD (1) (B) હેઠળના રૂ. 50,000/- નો પણ સમાવેશ થઇ જાય છે.
Section 80CCD હેઠળની જોગવાઈઓ માં બાદ મેળવેલ કપાત ફરીથી Section 80 C હેઠળ બાદ મેળવી શકતા નથી. એટલે કે Section 80CCD અને Section 80C એમ બંને મળીને રૂ. 2,00,000/- સુધી કરપાત્ર આવકમાંથી બાદ મળી શકે નહિ.
NPS માંથી માસીક ધોરણે પેન્શન પેટે કે એક સાથે નિવૃત્તિ સમયે મળતી તમામ રકમ કરપાત્ર રકમ ગણાશે.
એનપીએસ પાસેથી પ્રાપ્ત થતી કોઈપણ રકમ, જે એન્યુઇટી પ્લાનમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે તે સંપૂર્ણ રીતે કરમાંથી મુક્તિ છે.
જ્યારે તમે તમારા આવકવેરા રીટર્ન ફાઇલ કરી રહ્યા હો ત્યારે નાણાકીય વર્ષના અંતે Section 80CCD હેઠળ ઉપલબ્ધ કપાતનો દાવો કરી શકાય છે. આ કપાત માટે પાત્ર થવા માટે તમારે ચુકવણીનો પુરાવો રજૂ કરવો પડશે.
DOWNLOAD INCOME TAX CALCULATOR FOR F.Y. 2020-21
આ ઉપરાંત પણ ટેક્સપાત્ર આવકમાંથી શું શું બાદ મળી શકે છે?
Section 10(14), 80C /80CCC , 80GG, 80E, 80D, 80CCG, 80U, 80G, 80GGA વિષે વધુ જાણો.
શું છે Old Income Tax Regime અને New Income Tax Regime ? કયો વિકલ્પ લેવાથી થશે ફાયદો?
શું ગયા વર્ષની પુરાવણી થી આ વર્ષના ટેક્સમાં વધારો થાય છે? તો જાણો શું કરવું...
0 ટિપ્પણીઓ