પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય

:arrow: યોજના વિષે
આ યોજના- કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ-2022 સુધીમાં ઝુંપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાનનું નવેસરથી બાંધકામ કરવા માટે "સૌના માટે આવાસ" - હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
- વિશેષતાઓ
લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ-પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.
પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ (મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.
રૂ. 3 લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.
લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.
આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.
લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.
ઓનલાઈન આવકનો દાખલો અને ડોમીસાઈલ સર્કટીફીકેટ કઈ રીતે કાઢવા?
:arrow: યોજનાનો વ્યાપ
લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર 30.00 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.
30.00 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
:arrow: મળવાપાત્ર સહાય
કુલ મળવાપાત્ર રકમ રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)
જેમાં કેન્દ્ર સરકારની સહાય રુ. 1,50,000/- (રૂ. એક લાખ પચાસ હજાર) રહેશે. જયારે રાજ્ય સરકારની સહાય રૂ. 2,00,000/- (રૂ. બે લાખ) રહેશે.
:arrow: લાભાર્થીની પાત્રતા
જમીનનો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
કૌટુંબિક વાર્ષિક આવક રૂ.3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) આ યોજના હેઠળ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 2,00,000/- (રૂ. બે લાખ) સુધી આર્થિક સહાય મળવાપાત્ર છે. જાણો. |
:arrow: અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવા
માલિકીના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ / સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ / ૭-૧૨ ની નકલ).
લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (3 લાખથી પછી આવક મર્યાદા).
લાભાર્થીના કુટુંબના કોઇપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંદનામું.
આધારકાર્ડની નકલ (કુટુંબના દરેક સભ્યની)
મતદારકાર્ડની નકલ
બેંક પાસબુક / કેન્સલ ચેક.
રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો.
લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો.
સંયુકત માલિકીના કિસ્સામાં જમીનના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિ પત્રક.
:arrow: અરજી ક્યાં અને કેવી રીતે કરવી.
મહાનગર પાલિકા વિસ્તારના રહીશોએ મહાનગર પાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
જીલ્લા કે નગર પાલિકા વિસ્તારના રહીશોએ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો.
વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગની વેબસાઈટની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો.
:arrow: Important Links.
Official Website | |
Revised Pradhan Mantri Awas Yojana Guidelines (Hindi) | |
Subsidy Calculator | |
PMAY Application Form (Survey Form 4A and 4B) | |
PMAY(U) Passbook for BLC beneficiaries (English) | |
PMAY(U) Passbook for BLC beneficiaries (Hindi) | |
HFA Important notices clarifications and Formats | |
Updated Scheme Guidelines of Pradhan Mantri Awas Yojana - Housing for All (Urban) Mission After 2021 |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"


0 ટિપ્પણીઓ